પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-
મળતી માહિતી અનુસાર આજ રોજ છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી ગામ ખાતે શ્રી ગણેશજીની વિસર્જન યાત્રા ધુમધામથી નીકળવામા આવી હતી. જેમા નાના ભુલકાથી માંડીને વડીલો શ્રીગણેશજીના ગુણ ગાતા તેમજ ગણપતિ બાપા મોરિયીના નારા નાખતા તેમજ યુવાનો ડીજેના તાલે ગરબા રાસ રમતા ખુશીના માહોલમા મગન થઈ બાપાને વિદાય કર્યા હતા. સાથે વિસર્જન યાત્રાને લઈ જેતપુર પાવી પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સજજ જોવા મળ્યુ હતુ. સાથે ગામના તમામ ધર્મના લોકો વિસર્જન યાત્રામા જોવા મળ્યા હતા. જેથી જેતપુર પાવી ગામમા એકતા અને ભાઈ ચારો જોવા મળ્યો હતો. વિસર્જન યાત્રા સાજ ના 7 વાગ્યાના અરસામા શાંતીપૂર્ણ માહોલમા સંપન્ન થઈ ગઈ હતી.