છોટાઉદેપુર, સકીલ બલોચ :-
છોટા ઉદેપુર નગર મા આગામી અષાઢી બીજ તા. ૨૦ જૂન ના રોજ ભગવાન શ્રી જગન્નાથ જી ની આઠમી રથ યાત્રા ભવ્ય રીતે નીકળ નાર છે આજરોજ પોલીસ વિભાગ દ્વારા છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ આગેવાનો એ સાથ સહકાર થી આ આઠમી રથ યાત્રા ની ભવ્ય ઉજવણી કરવા સુર પુરાવ્યો હતો. તમામ સમાજ જનો દ્વારા શાંતિપૂર્ણ વાતવરણ માં, સુવ્યવસ્થિત રીતે ભવ્ય ઉજવણી થાય અને તમામ નગરજનો ને આ ભવ્ય આયોજન માં સહભાગી થવા આયોજકો એ આમંત્રણ પાઠવ્યું હતું.