છોટાઉદેપુર, સકીલ બલોચ :-
આજરોજ છોટાઉદેપુર ના મહાકાળી મંદિરે દશામાતાની મૂર્તિ લેવા માટે માઈ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો.દિવાસા ના દિવસથી દશામાનો તહેવાર ચાલુ થવાનો હોય. માતાજીની મૂર્તિ ની પ્રતિષ્ઠા કરવા માટે માઇ ભક્તો મોટી સંખ્યા માં આજે મહાકાળી મંદિર ના ચોક માં આવી પહોંચ્યા હતા.અને જાણે ચોક માય ભક્તોથી ઉભરાઈ ગયો હતો. તેથી દશામાની મૂર્તિ વેચતા વેપારીઓ અને પૂજાપાનો સામાન વેચતા વેપારીઓ ખુશ ખુશાલ દેખાઈ રહ્યા હતા.