છોટા ઉદેપુર નગર માં વર્ષોથી નીશ્વાર્થ જનસેવા બજાવનાર અજમેરા પરીવાર ના મહિલા સભ્ય સપનાબેન અજમેરા નું અવસાન થતાં રકતદાન કરી શ્રદ્ધાંજલિ આપવા માં આવી હતી જેમાં ચારભુજા સેવા ટ્રસ્ટ તેમજ મેડી ટોપ બ્લડ સેન્ટર દ્વારા આયુષ બ્લડ સેન્ટર ના સહયોગ થી રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
યોજાયેલ રકતદાન શિબિર માં યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ ની સાથે સાથે બ્લડ ડોનેટ કરી સેવાભાવી પરિવાર ના સભ્ય ને શ્રદ્ધાંજલી નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જ્યારે કોઈનો જીવ બચાવી શકાય તે માટે બ્લડ ડોનેટ કરી માનવતા નિ ઝાંખી કરાવી હતી.