છોટાઉદેપુર ખાતે માન. રાજયપાલ મહોદયની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજે તા. ૧૨મી, એપ્રિલના રોજ સવારે ૧૦:૦૦ કલાકે છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજયના માન. રાજયપાલ મહોદય આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે.
રાસાયણિક ખાતરો અને દવાઓના માનવ સ્વાસ્થ્ય પર પડતા દુષ્પ્રભાવ નિવારી શકાય એ માટે પ્રાકૃતિક કૃષિ એ એકમાત્ર વિકલ્પ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોની આર્થિક પરિસ્થિત ઉન્નત બને તથા દેશના પ્રત્યેક નાગરિકનું સ્વાસ્થ્ય જળવાઇ તેના પર વિશેષ ભાર આપી રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તથા ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આહ્વાન કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે દિશામાં રાજયના માન. રાજયપાલ મહોદયના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા તથા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમગ્રતયા માર્ગદર્શન મળી રહે તે માટે માન. રાજયપાલ મહોદય પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય એ માટે જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની રાહબરી હેઠળ જિલ્લા વહીવટીતંત્ર કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં જોતરાયું છે.
જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે કાર્યક્રમના સ્થળે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સાથે રાખી તૈયારીઓને આખરી ઓપ આપવાના ભાગરૂપે રિહર્સલ કરી સમગ્ર તૈયારીઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. તેમજ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here