છોટાઉદેપુર : આંબેડકર જયંતી ના ભાગરુપે લોકડાયરા નુ આયોજન કરવામા આવ્યુ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

કમિશ્નરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, છોટાઉદેપુર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે લોક દાયરો અને સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા.૧૪/૪/૨૦૨૩ના રોજ સવારે ૯.૦૦ કલાકે પાવર હાઉસ ચોકડી, છોટાઉદેપુર ખાતે કરવામાં આવેલ છે. આ ડાયરામાં મુકેશભાઈ તુરી લોક ડાયરો, ક્વરસિંહભાઈ રાઠવા લોક નૃત્ય, ધર્મેન્દ્રભાઈ વણકર વાંસળીવાદક વગેરે કલાકારો પોતાની કલા દ્વારા મનોરંજન પીરસશે. જાહેર જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here