ઘોઘંબા તાલુકાના અનેક ગામોમાં ગતરોજ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

ભારત દેશના વિવિધ રાજ્યો સહિત ગુજરાતના અનેક ગામોમાં વિધ્નહર્તાની સ્થાપનાથી લઈ પુંજા અર્ચનાની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી અને અંતે વાજતે ગાજતે વરઘોડા સહિત વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં ગતરોજ ઘોઘંબાના આસપાસના ગામો જેવા કે ઘોઘંબા પાલ્લી ફરોડ ધનેશ્વર ગોઠ રાજગઢ મઠ સવાપુરા પિધોરા અને દરેક ગામના ગણપતિનું વિસર્જન દર વરસની જેમ આ વર્ષે પણ કરાડ ડેમમાં કરવામાં આવ્યું હતું. તે સમયે રાજગઢ ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેરઠેર પાણીના કુલર મુકી ઠંડા પાણીની પરબો ઉભી કરવામાં આવી હતી અને ગામના ડે.સરપંચ તથા ગામ લોકો ખડેપગે ઉભા રહી અમન શાંતિ અને એક્તાની મહેંક પ્રસરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here