ઘોંઘબા તાલુકાના ભિલોડ ગામે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી

ઘોઘંબા,(પંચમહાલ) ઇમરાન ખાન :-

ઘોંઘબા તાલુકાના ભિલોડગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા 17 ઓગસ્ટ ના રોજ  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે ભિલોડ ગામના નીલકંઠ મહાદેવના સ્થાનિધ્યમાં ભવ્ય શિવ શક્તિ મહાયજ્ઞ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.  ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમનો લોક કલ્યાણ માટે નો  એક મંત્ર છે. કે ભહુજ ન હિતાય ભહુજ ન સુખાય જેથી મોદીના જન્મદિવસ નિમિતે રાષ્ટ્ર કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે ભારત વર્ષના કલ્યાણ થાય તેવા સિદ્ધ હેતુથી પ્રકાંડ પંડિતો દ્વારા સમરસ ગ્રામ પંચાયત તરીકે ગણા નાનકડા ગામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જયપાલસિંહ રાઠોડ ની વિચાર શરણી  તેમજ ગ્રામ જનોના  સહકારથી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિતે રાખેલ શિવ શક્તિ મહાયજ્ઞની તડામાર તૈયારી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here