સિદ્ધપુર,(પાટણ) આશિસ કુમાર :-
દરેક તાલુકા જીલ્લા કક્ષાએ મિટીંગનો દોર શરુ
આપ પાર્ટીનાં ગોપાલ ઈટાલીયા સામે સમગ્ર ગુજરાતમાં રોષ પ્રગટ થઈ રહ્યો છે .. તા ૧૪ નાં રોજ બપોરનાં ચાર કલાકે સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ બ્રહ્મસેના દ્વારા જાહેર થયો છે .. રાજ્યભરમાં આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે .. જગતગુરુ શંક્રાચાર્યજી પાસે તા ૧૪ સુધીમાં માંફી માંગવાનું અલ્ટીમેટમ અપાયુ છે .. બ્રાહ્મણ સમાજનાં વિવિધ સંગઠનો દુર્ગાસેનાની બહેનોને સાથે રાખી હિન્દુ સંગઠનને એક કરવા મથી રહ્યા છે આર એસ એસ , વી એચ પી , બજરંગદળ , હિંદુ યુવા વાહિની , સ્વામીનારાયણ મંદિર સ્વાધ્યાય પરિવાર , ગાયત્રી પરિવાર , હિન્દુ સંસ્થાઓ મંદીરનાં પુજારીઓ, રાજકિય પાર્ટીનાં અગ્રણીઓ, કથાકારશ્રીઓ, કર્મકાંડી બ્રાહમણો સહિત અનેક લોકોને સહકાર આપવા બ્રાહ્મણ સંગઠનો અપીલ કરી રહ્યા છે ..રાજ્યમાં ૧૦% જેટલી બ્રાહ્મણ વસ્તી છે ત્યારે આ આંદોલનને હિન્દુ સંગઠનને સાથે રાખી ઊગ્ર બનાવાશે .. કથાકારશ્રીઓ અને સંતો પણ તા ૧૪ નાં રોજ મેદાનમાં ઊતરશે.. રાજકિય સ્ટંટ કરવા અપાયેલા હિન્દુ સમાજનાં સન્માનને ઠેંસ પહોચાડનારા નિવેદન ગોપાલ ઈટાલીયા દ્વારા થયા છે ત્યારે સમાજને એક બની લડત આપવા ઠેર ઠેરથી અપીલ થઈ રહી છે..
બ્રહ્મસમાજની પેટાજ્ઞાતિ ગોળતડ મંડળો અને યુવાનો મેદાનમાં ઊતર્યા છે .. હિન્દુ સમાજ માટે કલંક રુપ નિવેદન કરી ગોપાલ ઈટાલીયા રાજકિય ખીચડી પકાવી રહ્યા છે .. હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓ એક બની હાલ ગુજરાતભરમાં તા ૧૪ જુલાઈનાં આવેદનપત્ર આપવાની તૈયારીમાં લાગી ચુકી છે .. ભાજપ કોંગ્રેસ સહિત અમુક આપનાં કાર્યકર્તા પણ આ આંદોલનને ટેકો આપી રહ્યા છે ..