સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
આજરોજ ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ, સિદ્ધપુર ઘટકના સંયુક્ત ઉપક્રમે બંધારણ પેંશન અધિકાર દિવસ અન્વયે જૂની પેંશન યોજના અમલીકરણ તથા નગર પાલિકાના શિક્ષકોને 4200 ના ગ્રેડ પે માટે સિદ્ધપુર એલ.એસ.હાઈસ્કૂલથી ભીમચોક સિવિલ હોસ્પિટલ સુધી નગર પ્રાથમિકની ૧૦ શાળાના ૭૫ શિક્ષકો,તાલુકા પ્રાથમિક શાળા સંઘના ૨૦૦ શિક્ષકો,માધ્યમિક શિક્ષક સંઘના ૫૦ શિક્ષકો, આરોગ્ય અને અન્ય યુનિયનના કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.જ્યાં બાબા સાહેબની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ દરેક સંઘના પ્રમુખઓ દ્વારા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જો સરકાર દ્વારા જૂની યોજના બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી અપાઈ હતી.આ પ્રસંગે નગર પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ હરગોવનભાઈ દેસાઈ,તાલુકા પ્રા.શિક્ષક સંઘ પ્રમુખ ખોડાજી રાજપૂત,સી.આર.સી ધીરજભાઈ,માધ્યમિક વિભાગના શૈલેષ પટેલ સહિત શિક્ષક ભાઈ-બહેનો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.