કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ગુરૂવારની મધ્યરાત્રી બાદ કાલોલ બસ સ્ટેન્ડ પાસે ભાથીજી મંદિર અને બસ સ્ટેન્ડના પાછળના ભાગમાં ઉપરા ઉપરી બે પ્રોવિઝન સ્ટોર ની દુકાનોના તાળા તસ્કરોએ તોડતા બસ સ્ટેન્ડ વિસ્તારના વેપારીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. તસ્કરો દ્વારા નંદ પ્રોવિઝન સ્ટોર ની દુકાન નુ શટર તોડી ચોરી નો પ્રયાસ કરેલ પણ કોઈ ચીજ વસ્તુઓ ચોરાઈ નથી નજીકમાં આવેલ પ્રિયાંક પ્રોવિઝન સ્ટોર નું શટર ઉંચુ કરી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા પણ કોઈ રોકડ રકમ મળી નહોતી જેથી કરીને કાજુ બદામ લઈ ગયા હોવાની માહીતી મળી છે.કાલોલ ખાતે રામ નવમી નો તહેવાર હોઈ ભાથીજી મંદિર પાસે સ્થાનિકો તોરણ બાંધવાનુ અને ધ્વજ લગાવવાનું કામ રાત્રીના બે વાગ્યા સુધી કરી રહ્યા હતા ત્યારબાદ દુકાનોના તાળા તૂટયા હોવાનુ મનાય છે ત્યારે કાલોલ નાં બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં દુકાનોનાં શટર તૂટતા સ્થાનીક પોલીસ દ્વારા આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવાની માંગ ઉઠી છે.