કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન
કાલોલ તાલુકામાં શિવરાત્રીના પાવન અવસર પર ગામે-ગામ શિવજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કાલોલ નગર સહિત શહેરના વિસ્તારમાં મહાશિવરાત્રીના પવૅ મહાપાવન અવસર ધામ ધુમથી ઉજવવામાં આવ્યો. શિવ ભક્તોએ શિવજીને પાલખીમાં બિરાજમાન કરી શેરીએ શેરીએ ભગવાન ભોળાનાથની શોભાયાત્રા ઠેર ઠેર જોવા મળતી હતી. શિવરાત્રીના દિવસે ભગવાન શિવજીની શોભાયાત્રામાં બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા હતાં.