કાલોલના એક ગામની પરણીતાની લાજ લેવાના નિષ્ફળ પ્રયાસ બાદ મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના એક ગામની બે સંતાનો ની માતા એવી પરણીતા કે જેના ધરે શૌચાલય ન હોવાથી ગામ નજીક આવેલ નર્મદા કેનાલ નજીક ખારીવાળા કોતરમા કુદરતી હાજતે જાય છે ગત તા ૧૩/૦૪ ના રોજ સાંજના છ વાગ્યા નાં સુમારે કુદરતી હાજતે કોતરમાં ગયેલી પરણીતા ની એકલતા નો લાભ લઈને તેણી ના ઘર પાછળ રહેતો અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી કોતરમાં પરણિતા બેઠી હતી ત્યા નજીક આવી ને હાથ પકડીને ખેંચતાણ કરવા લાગ્યો અને ઈજ્જત લેવાના ઈરાદે કહેતો હતો કે મારે આજે તારી સાથે શરીર સંબંધ બાંધવો છે તો મને શરીર સંબંધ બાંધવા દે હુ તને ઘણા દિવસથી કોતરમાં આવતા જતા જોઈ રહેતો હોવુ છુ આજે તને છોડવાનો નથી એમ કહીને પરણીતાનો હાથ પકડી લીધો હાથ છોડાવવા ની કોશિશ કરતાઅને હાથ છોડી દેવા જણાવતા ગાળો બોલવા લાગેલ અને ઉશ્કેરાઈ જઈને પરણિતાને ગડદા પાટું નો માર મારવા લાગેલ પરણિતાએ બુમાબુમ કરતા આજુબાજુ કોઈ જ નહી હોવાથી કોઇ છોડાવવા આવેલ નહોતુ જેથી ફરી થી બુમાબુમ કરતા આ વાત તારા ધરે કોઈને કહીશ તો હુ તને જાન થી મારી નાખીશ પરણિતા એ જોર થી પોતાનો હાથ છોડાવી બુમાબુમ કરતા અરવિંદભાઈ દોડી જઈ નાસી ગયો હતો હવસખોર ની ચુંગાલ માથી બચી ને પોતાના ઘરે આવેલ પરણિતાએ પોતાની સાસુ અને પતિ ને વાત કરી હતી જે બાબતની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે આરોપી
અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી સામે છેડતી અને ધાક ધમકી અંગે ની કલમો હેઠળ નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here