આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન ના સંસ્થાપક ચેરપર્સન ડૉ. સીમાબેન પટેલે કાલાવડ, જિલ્લા જામનગર ખાતે પોતાની માલિકીનું હિન્દ ન્યુઝ અખબાર માં કાલાવડ નગરપાલિકા ના કર્મચારીઓ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના માં ભ્રષ્ટાચાર હોવાના ન્યુઝ પ્રસિદ્ધ કર્યા હતા અને તે ન્યુઝ ને વ્હાટ્સએપ ગ્રુપ માં ફોરવર્ડ કર્યા હતા,
જેની ટિપ્પણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર એવા દયા મકવાણાએ તંત્રીશી ડૉ. સીમાબેન પટેલને બદનામ કરવાના બદ ઈરાદાથી વ્હાટ્સએપ ગ્રુપ માં લખ્યું હતું કે “તમે પૈસા લઈને અજમલ ગઢવીના સમાચાર પ્રસિદ્ધ કરવાનું બંદ કરી દીધું હતું એમ પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડ નું પૈસા લઈને બંદ તો નહીં કરી દેશો ને?
લોકતંત્ર ના ચોથા સ્થંભ એવા પત્રકારને જાહેરમાં વ્હાટ્સએપ ગ્રુપમાં બદનામ કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકર એવા દયા મકવાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યોગ્ય સજા થાય તે હેતુથી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો દ્રારા કલેકટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here