ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાકક્ષાનો PMJAY કાર્ડ વિતરણનો કાર્યક્રમ તા.૧૭ મી ના રાજપીપલા માં યોજાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાતના ગૃહમંત્રી (રાજ્યકક્ષા) હર્ષ સંધવી આગામી તા. ૧૭ મી ઓક્ટોબર, ૨૦૨૨ ને સોમવારના રોજ રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા સંકુલમાં યોજાનારા જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અત્રે નોંધનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્યના તમામ તાલુકા મથકોએ યોજાનારા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here