ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-
પંચમહાલ-ગોધરા રેન્જના પંચમહાલ, દાહોદ તેમજ મહિસાગર જીલ્લાના અરજદારોને જણાવવાનું કે, પોલીસ વિભાગને લગતી પોતાની રજુઆત કરવા માગતા હોય તેઓની રજુઆત હોય તો તેઓ લેખિતમાં અરજી આપીને રજુઆત કરવી અને તે રજુઆતને રૂબરૂમાં સાંભળી ચર્ચા કરી તેનુ યોગ્ય નિરાકરણ થાય તે સારૂ શ્રી રાજેન્દ્ર અસારી, નાયબ પોલીસ મહાનિરીક્ષક, પંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરાનાઓના અધ્યક્ષ સ્થાને તા.૩૧/૦૮/૨૦૨૩ ના રોજ કલાક ૧૧:૦૦ વાગ્યે પોલીસ હેડ કવાર્ટર પંચમહાલ-ગોધરા ખાતે સંયુકત લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ છે જેથી તમામ અરજદારશ્રીઓને હાજર રહેવા આમંત્રિત કરવામાં આવ્યા છે તેમ નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.