અમદાવાદ : રામોલ રીંગ રોડ પાસે અંબેમાના મંદિર બાજુ આવેલ તળાવમાં અજાણા ઈસમનો પગ લપસી જવાના કારણે મોત

અમદાવાદ, કમર અલી સૈયદ :-

આજરોજ રામોલ રીંગ રોડ પાસે અંબેમાના મંદિર બાજુ આવેલ તળાવમાં અજાણા ઈસમનો પગ લપસી જવાના કારણે તળાવની અંદર ડૂબી ગયેલ છે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા આ અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશનને થતા પોલીસ ટીમ તેમજ ફાયર ફાઈટર ફાઈટિંગ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને લાશને સલામત રીતે બહાર કાઢી પંચનામું કરી લાશને પોસ્ટ મેટમ માટે મોકલી આપવામાં આવેલ છે યુવકની લાશ અંગે ની ઓળખ થઈ જવા પામેલ નથી જેથી લાગતા વળગતા નાગરિકોએ રામોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા વિનંત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here