ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સેજપુરા ગામે બનેલ આધેડની હત્યા ના આરોપમાં નાસતા ફરતા આરોપીને ડભોઇ પોલીસ દ્વારા રાજલી ક્રોસિંગ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવા આવી છે.
ડભોઇ તાલુકાના સેજપુરા ગામે થોડા સમય પૂર્વે આધેડની તળાવ નજીક કોઈ તીક્ષણ હથિયાર વડે હુમલો કરી આધેડનું મોત નિપજાવી નાસી ગયેલ આરોપીને પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ડભોઇ પોલીસ જવાનોને પાક્કી બાતમી મળી હતી કે આ ગુન્હાનો આરોપી અરવિંદ જેસિંગભાઈ પરમાર જે રહે જેસોલ ગામ તા.લુણાવાડા જી.મહીસાગર નાઓ કપુરાઈ ચોકડી થઈ સેજપુરા તેના પરિવારને મળવા આવાનો હોય રાજલી નજીક વોચ રાખી અરવિંદભાઈ જેસંગભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યો હતો ઠોડાસમય પૂર્વે તેને સેજપુરા ગામે હસમુખભાઈ ગોપાલભાઈ વસાવાની હત્યા કરી હતી જે આધારે તપાસ કરી પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડી કાયદેશહર કાર્યવાહી હાથ ધરી છે.