ભચાઉ, આરીફ દિવાન(મોરબી)
ભચાઉમાં ઇન્સાફ સંગઠન દ્વારા
ભચાઉના ઇન્સાફ સંગઠન દ્વારા સૂફી સંત પીર સૈયદ અબ્દુલ કાદીર બાપુને શ્રઘ્ધાંજલી અપાઇ હતી. સર્વે ધર્મના, સૂફી સંત-પીર સૈયદ અબ્દુલ કાદીર બાપુ ને માનવા વાળા સમગ્ર વિશ્વમાં છે પીર સાહેબના વિદાય થી સમગ્ર ભારતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે, રોશનઅલી શાંધાણીએ જણાવેલ છે. પીર સૈયદ અબ્દુલ કાદીર બાપુ કાયમી ધોરણે લોકોને પોતાના ફેજથી લોકોને મદદરૂપ થયા છે, અને આ ફાની દુનિયા માંથી વિદાય લીધા બાદ પણ પોતાના રુહની ફેજથી સમગ્ર લોકો ફાયદો પહોડતા રહેશે. પીર સૈયદ અબ્દુલ કાદીર બાપુની બરગાહ માં આવતા તમામ ધર્મના લોકો પોતાની તકલીફો થી છૂટકારો મેળવતા હતા, આવા સૂફી સંત પીર, ની જાહેરી દુનિયામાં ખોટ પડી છે, પીર સાહેબ ની અચાનક વિધાય થી ઈંન્સાફ સંગઠનના, રોશનઅલી શાંધાણી, સમીરભાઈ દુદાની, નેહાલભાઈ અન્સારી, એડવોકેટ યેશાબેન, એડવોકેટ ભારતીબેન, રુકસનાબેન સાંધ, ઝુંબેદાબેન, અંકિતભાઈ,જય ભાઈ, ભારત ભાઈ, લક્ષમણ ભાઈ, હનીફભાઈ, ભાવેશભાઈ, શોક વક્ત કર્યો હતો અને પીર સાહેબ ને શ્રદ્ધાંજલિ આપી હતી.