સંત વેલેન્ટાઈનનાં પ્રેમની કહાની પ્રેમ કરવાવાળા દરેક દિલની અત્યંત નજીક ..

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

14 મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ની અભવ્યક્તિ વ્યકત કરવા 100 કરોડ થી પણ વધુ શુભેચ્છા કાર્ડ્ઝ નું વિશ્વભર માં થતું વેચાણ

દરેક પ્રેમી ઓ 14 મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે ની રાહ આખું વર્ષ આતુરતાથી જોતા હોય છે. આ ખાસ વીકની શરૂઆત ગુલાબની સુગંધ એટલે કે રોઝ ડેથી7 મી ફેબ્રુઆરી થી શરૂ થાય છે. કપલ્સ આ દિવસને સ્પેશીયલ બનાવવાથી લઈને પોતાના પ્રિય પ્રેમીને દિલનો હાલ જણાવવા સુધી, ગુલાબના ફૂલો તથા ચોકલેટનો સહારો લે છે. રોઝ ડે મનાવવા માટે ઘણા કિસ્સાઓ અતિ પ્રચલિત છે અને તે કિસ્સાઓ પ્રેમીઓ એક બીજાને જણાવતા પણ હોય છે.

જો તમે ROSE ના અક્ષરોને વ્યવસ્થિત કરો છો તો તે બની જાય છે ‘EROS’ જે પ્રેમના દેવતા છે. ગ્રીક માઈથોલોજી અનુસાર, પ્રેમની દેવી Venusનું પણ પસંદીદા ફૂલ ગુલાબ છે. પરંતુ સંત વેલેન્ટાઈનની વાર્તા પ્રેમ કરવાવાળા દરેક દિલથી અત્યંત નજીક છે.

કોણ હતા સંત વેલેન્ટાઈન?

‘ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાજીન’ પુસ્તકમાં સંત વેલેન્ટાઈનની વાત જાણવા મળે છે. વેલેન્ટાઈનનો દિવસ રોમના એક સંત જેમનું નામ વેલેન્ટાઈન હતું, તેમના નામ પર દુનિયાભરમાં મનાવવામાં આવે છે.

કહેવાય છે કે રોમના સમ્રાટ કલાઉડીયસના શાસન દરમિયાન સંત વેલેન્ટાઈન દુનિયાભરમાં પ્રેમને વધતો જોવા માંગતા હતા, પરંતુ તેમની આ વાત રાજાને બિલકુલ પણ પસંદ ન હતી. કલાઉડીયસને લાગતું હતું કે રોમના લોકો પોતાની પત્ની તથા પરિવાર સાથે મજબૂત લગાવ હોવાને કારણે સેનામાં ભરતી નથી થઇ રહ્યા. લોકો સેના માં ભરતી નહિ થાય તો દેશ ની સુરક્ષા નો પ્રશ્ર્ન ઉભો થાય જેથી
સમ્રાટે લગાવી પ્રેમ પર રોક કે જેથી લોકો વધારે સંખ્યામાં સેનામાં ભરતી થઇ શકે, એ માટે રાજા કલાઉડીયસએ રોમમાં લગ્ન ઉપર પણ પાબંધી લગાવી દીધી હતી.

સમ્રાટ કલાઉડીયસના આ આદેશનો સંત વેલેન્ટાઈને વિરોધ કર્યો હતો અને અધિકારીઓ તથા સૈનીકોના લગ્ન કરાવ્યા હતા . સંતના આ વિરોધથી નિરાશ થઈને રાજા કલાઉડીયસે તેમને 14 ફેબ્રુઆરીના દિવસે ફાંસી પર ચઢાવ્યા હતા. માનવામાં આવે છે કે સંત વેલેન્ટાઈનની યાદમાં 14 ફેબ્રુઆરીને ‘પ્રેમના દિવસ’ ના રૂપમાં પ્રેમ પ્રતિક રૂપે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મનાવવામાં આવે છે.

ફેબ્રુઆરી મહિનામાં જ બીજા વીક થીજ વેલેન્ટાઈન વીક ની સરૂઆત થઈ જાય છે.

વેલેન્ટાઇન્સ ડે અથવા તો સંત વેલેન્ટાઇન્સ ડે એ પોતાના પ્રિયતમ સમક્ષ પોતાના પ્રેમ ની અનુભૂતિ વ્યકત કરવાનો દિવસ છે. જે તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ વિશ્વના ઘણા લોકો દ્વારા ઉજવવામાં આવે છે. અંગ્રેજી ભાષા બોલતા દેશોમાં આ એક એવા પારંપરિક દિન તરીકે ઉજવવામાં આવે છે કે જે દિવસે પ્રેમીઓ એકબીજાને વેલેન્ટાઇન્સ કાર્ડ્ઝ, ફૂલો અર્પણ કરીને તેમજ મીઠાઇની આપ-લે કરીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. પૂર્વ ખ્રિસ્તી ધર્મમાં શહીદ થયેલા અનેક પૈકી બે વ્યક્તિના નામ ઉપરથી આ દિવસ નું નામ વેલેન્ટાઇન રાખવામાં આવ્યું છે.

સાહિત્યકાર જ્યોફ્રી ચોસરનાં વર્તુળમાં આ દિનને લાગણીસભર પ્રેમ સાથે સાંકળવામાં આવ્યો છે , જયોફ્રી ચોસર નો યુગ ઉચ્ચ મધ્યમ યુગ હતો કે જે દિવસોમાં રૂમાની પ્રેમની પરંપરા ખૂબ જ પાંગરી હતી. આ દિવસ પ્રેમિઓનો ખુબ જ ખુશી નો દિવસ હોય છે.

પ્રેમિઓ પ્રેમ ની અભિવ્યક્તિ વ્યકત કરવા એક બીજા ને આપતા વેલેન્ટાઈન કાર્ડ્ઝ

આ દિવસને “વેલેન્ટાઇન્સ”ના રૂપે અન્યોન્ય આદાનપ્રદાન કરવામાં આવતાં પ્રેમપત્રો સાથે ખૂબ જ નજીકથી સંલગ્ન કરવામાં આવ્યો છે. વેલેન્ટાઇનનાં આધુનિક પ્રતીકો માં હ્રદય આકારની રૂપરેખા, કબૂતર અને પાંખવાળા રોમન કામદેવના ચિત્રનો સમાવેશ થાય છે. 19મી સદીમાં હાથ થી લખેલા પત્રોને બદલે જંગી માત્રામાં ઉત્પાદિત થતાં શુભેચ્છા કાર્ડ્ઝનું ચલણ વધ્યું. 19મી સદીના ગ્રેટ બ્રિટનમાં પ્રેમપત્રો કે વેલેન્ટાઇન મોકલવાનો એક પ્રચલિત રિવાજ કે જે ઍક ફેશન બની ગયો હતો. અને વર્ષ 1847માં એસ્થર હાઉલેન્ડે તેના વોર્સેસ્ટર મેસાકુસેટ ખાતે આવેલાં ઘરમાંથી બ્રિટિશ સંસ્કૃતિને આધારિત હાથ થી બનાવેલા વેલેન્ટાઇન કાર્ડ્ઝનો સફળ વ્યવસાય શરૂ કર્યો. 19મી સદીના અમેરિકામાં વેલેન્ટાઇનની શુભેચ્છા સાથેના કાર્ડ્ઝની ખ્યાતિ એવી રીતે વધી કે હવે મોટા ભાગના વેલેન્ટાઇનનું શુભેચ્છા આપતાં કાર્ડ્ઝ હાલમાં સામાન્ય કાર્ડ્ઝનાં સ્વરૂપે જોવા મળે છે નહીં કે પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે. આ બાબત એ વાતની સૂચક હતી કે ભવિષ્યમાં અમેરિકી ગણરાજ્યો ખાતે આ રજાનું વ્યાવસાયીકરણ થશે.

યુએસના ગ્રિટિંગ કાર્ડ્ઝ એસોસિએશનના અંદાજ અનુસાર વિશ્વભરમાં આશરે 100 કરોડ પ્રેમીઓ પોતાના પ્રેમની લાગણી આ દિવસે વેલેન્ટાઇન કાર્ડ્ઝ મારફતે વ્યક્ત કરે છે. જેના કારણે નાતાલ (ક્રિસમસ) પછી વેલેન્ટાઇન ડે વર્ષનો એવો બીજો દિવસ બને છે કે જે રજાના દિવસે સૌથી વધુ કાર્ડ્ઝ વેચાય છે. એસોસિએશનનો અંદાજ છે કે યુએસમાં મહિલાઓ કરતાં પુરુષો વધુ પ્રમાણ માં કાર્ડ્ઝ નો ઉપયોગ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here