રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
આજરોજ મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે નર્મદા જિલ્લા શૈક્ષિક મહાસંઘ દ્વારા જકતાનાકા થી ગાંધી ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રામધૂન બોલાવવામાં આવેલ અને નાંદોદના ધારાસભ્ય બહેનશ્રી ડૉ દર્શનાબહેન દેશમુખને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ જેમાં જણાવાયું છે કે રાજ્યભરમાં કામ કરતા ૧/૪/૨૦૦૫ પછીના શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે. આ સમગ્ર કાર્યક્રમમાં તાલુકા જિલ્લા કક્ષાના હોદ્દેદારો અને અંદાજિત ૬૧૦ જેટલા શિક્ષકો સમગ્ર જિલ્લામાંથી ઉપસ્થિત રહેલ એમ પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.