ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-
તલાટી સરપંચે તાલુકા વિકાસ અધિકારી ને જાણ કરી ખેડૂતોને સહાય આપવાની રજૂઆત કરી
નર્મદા જીલ્લા માં ગતરોજ સવારે મુસલધાર વરસાદ ખાબકતા ખેતીના પાક કેળ, સહિત શેરડી તેમજ કેરી ના પાક ને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે ગરૂડેશ્વર તાલુકા ના વેલચંડિ ગામે એક ભેંસ ઉપર વીજળી પડી હતી અને તેનું મોત થયું હતું જયારે દેડિયાપાડા તાલુકાના શીયાલી ગામે પણ બે ગાયો ના વીજળી પડતાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગતરોજ સવારે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો ત્યારે સવારે અગિયાર વાગે દેડિયાપાડા તાલુકાના સિયાળી ગામે રહેતા વસાવા વિજયભાઈ રાયસિંહ ના ઘરે બાંધેલ બે ગાયો ઉપર પણ વીજળી પડતાં તેમનું પણ મોત નિપજ્યું હતું,આ મામલે સરપંચ સહિત તલાટી એ ખેડુત ના પશુઓ ના મોત નીપજ્યા હોવાની જાણ તાલુકા વિકાસ અધિકારી ને કરી તેઓને સહાય આપવાની રજૂઆત કરી છે.