રાજકોટ,
પોલીસ પત્રકાર સહિત સેવાભાવી કાર્ય કરનાર નું અખિલ ભારતીય માનવ અધિકાર સમિતિ નિગરાની દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો
શાપર વેરાવળ ખાતે તાજેતરમાં વિવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા અખિલ ભારતીય માનવ અધિકાર સમિતિ નીગરાની ના હોદેદારો દ્વારા શાપર વેરાવળ પોલીસ મથકમાં કોરોના કાળ અને અવારનવાર સેવાકીય કાર્ય પ્રજા હિત કાર્ય કરનાર ફરજ નિષ્ઠ પોલીસ કર્મચારીઓ અને પત્રકારો નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગત તારીખ ૧/૧૦/૨૦૨૧ ના રોજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે અખિલ ભારતીય માનવ અધિકાર નીગરાની સમિતિ રાજકોટ જિલ્લાનાપ્રમુખ પંકજભાઈ વેકરીયા તથા રાજકોટ જિલ્લાના મહેશ ભાઈ સોલંકી દ્વારા શાપર વેરાવળ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ કે એ ગોહિલ તથા પોલીસ સ્ટેશનના અન્ય પોલીસ કર્મચારીઓ નું કોરોના કાળ માં પોતાના સ્વાસ્થ્યની અને પોતાની ચિંતા કર્યા ફરજ ના ભાગે જે પ્રજા ચિંતક કામગીરી કરી એ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પત્રકારો સહિત ૫૦ થી ૬૦ અન્ય સેવાભાવી સંસ્થા ને સેવાકાર્ય કરતા સેવાભાવીઓ નું આ સન્માન સમારંભ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.