કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની ૧૧૭મી જયંતીની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી સદ્ગુરુ સંતો સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરેએ સાથે મળીને ઉલ્લાસભેર કરી હતી. જેમાં પૂજનીય સંતોએ જીવનપ્રાણ અબજીબાપાશ્રી તેમજ સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાનું મહિમાગાન, બાપાશ્રીની વાતોનું પૂજન, અર્ચન, આરતી તેમજ ઓનલાઈન દર્શન – શ્રવણ કર્યું હતું. આવા અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ભક્તિભાવપૂર્વક લીધો હતો.