રોયલ વેલફેર ટ્રસ્ટ રોયલ ગૃપ દ્વારા આયોજીત આઠમા સમુહ લગ્ન સમારોહનુ સફળ આયોજન કરવામાં આવ્યું

તારાપુર,(આણંદ) રાહીબ શા દિવાન :-

રોયલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આઠમા સમુહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું. ટ્રસ્ટ ના પ્રમુખ જવાબ ભરતસિંહ હિમ્મત સિંહ રાઠોડ તથા સબબીર સૈયદ,ઐયુબ શા મુસ્લિમ વેલફૅર ટ્રસ્ટ પ્રમુખ, મહંમદ રફીક સામાજિક કાર્યકર કિસ્મત તારાપુર,મુલતાન બાપુ, રફીક સેમસંગ,શિરાજ દિવાન, ઐયુબ શા હાઙગુઙ,અનવર શાં દિવાન, મહંમદ અલી તેમજ સમાજ ના મહાનુભાવો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને રોયલ વેલફેર ટ્રસ્ટ ના પ્રમુખ તેમજ યુવાનો એ સમુહ લગ્ન ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી સાથે સાથે પ્રમુખ ભરતસિંહ રાઠોડે સમાજ માટે કુરિવાજો ને દુર કરી સાદગી થી સમુહ લગ્ન કરવા પર ખાસ સંદેશો આપ્યો હતો. તેમજ સમુહ લગ્ન તા- ૨૮/૧૧/૨૧ સે છે પરંતુ આવેલ ભેટ સોગાદો અને કરિયાવર આજે તા-૨૬/૧૧/૨૧ ના રોજ આપવામાં આવ્યું હતું. સમુહ લગ્ન મા કુલ ૧૮ લગ્ન રાખવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here