સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
યોગાંજલી કેળવણી મંડળ, ગણેશપુરા સંચાલિત યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે આજ રોજ આઝાદીના અમૃત મહોત્સવ એવા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પ્રાંગણમાં વિવિધ રંગોળી અને ઓલમ્પિક સિમ્બોલ રચવામાં આવ્યાં હતા તથા આજનું ધ્વજવંદન જાણીતા લેખિકા, મહર્ષિ શ્રી અરવિંદના સાધક તથા ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરના પૂર્વ સલાહકાર એવા સુ. શ્રી જ્યોતિબેન થાનકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વાતંત્ર્ય પર્વ સંદર્ભમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભકિત ગીત, વક્તૃત્વ અને ડાન્સ જેવી વિવિધ કૃતિઓ રજુ કરી હતી. આજના આ પ્રસંગને શોભાવવા માટે યોગાંજલિ કેળવણી મંડળના નિયામિકા સુ. શ્રી રમીલાબેન ગાંધી, મંત્રી શ્રી કુ. જીજ્ઞાબેન દવે, ટ્રસ્ટીશ્રી કૈલાશબેન પટેલ, જાણીતા વકિલશ્રી મહેશભાઈ રાવ, સંસ્કૃતના પ્રખર વિદુષી શ્રીમતિ જહાનવીબેન શુક્લ, ઈનર વ્હીલ ક્લબ – સિધ્ધપુર ના પ્રમુખ અને મંત્રીશ્રી તથા યશોધર ભાઈ મોઢ, કમલેશભાઈ ગોહિલ, ધનેશભાઈ દવે, હર્ષદભાઈ મેવાડા અને અન્ય ગણમાન્ય નાગરિકો તથા શાળાના આચાર્યશ્રી અશોક ભાઈ શર્મા તેમજ સમગ્ર યોગાંજલિ પરિવારના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.