ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બોડેલીમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બોડેલીમાં મોડી સાંજે નીકળેલી શ્રીરામની શોભા યાત્રામાં અભુત પૂર્વ માનવ મહેરામણ ઉમટ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે મોડી સાંજે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યું હતું આજે અયોધ્યા ખાતે તારીખ 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લો પણ રંગે રંગાઈ ગયું હતું અને રામા મય બની ગયું હતું આજે બપોરે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ પ્રાંત પ્રતિષ્ઠા કર્યા બાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી ઓજારોની સંખ્યામાં શ્રીરામની ધૂન તેમજ શ્રી રામના નારા સાથે બોડેલી ની બજાર ગુંજી ઉઠી હતી ઠેર ઠેર આતસબાજી પણ કરવામાં આવી હતી બોડેલી નગરમાં ભગવાન શ્રીરામની શોભા યાત્રાનેઠેરઠેર આવકાર આપ્યો હતો અને ઘરે ઘરે રંગોળી તેમજ દીપ પ્રગટાવીને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો શાંતિપૂર્વક શોભા યાત્રા બોડેલીના રામજી મંદિરથી અલીપુરા ના જલારામ મંદિરે શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here