બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં અલીપુરા માં આવેલ ખોડીયાર માતાજીના મંદિરના ચોકમાં પરંમપરા ગત દર વર્ષના જેમ માં અંબા ની નવલી નવરાત્રીનો ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે અલીપુરા જન શક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ 15 મીથી માં અંબાના નવલા નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે મા ખોડીયાર માના મંદિરના ના ચોક માં ખેલૈયાઓ ગરબા રમતા હોય છે ત્યારે આ વર્ષે પણ નવરાત્રીના ખેલૈયાઓને ગરબા રમવા માટે ગરબા ગ્રાઉન્ડ ની આજુબાજુ સાફ-સફાઈ તેમજ જાત જાતના લાઈટ ના ડેકોરેશન ની ટ્રસ્ટીઓ દ્વારા કરી દેવામાં આવી છે માં અંબાના નવલી નવરાત્રી નજીક આવી જતા જનશક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટના યુવાનો રાત દિવસ મહેનત કરીને માં અંબા ની નવલી નવરાત્રી ની તૈયારીઓ તડામાર કરી રહ્યા છે.