બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
ગુજરાત કોન્ગ્રેસના વિરોધ પક્ષના માજી નેતા સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સ્વ.રાજીવ ગાંધી ભારતના પૂર્વ વડાપ્રધાન અને 21મી સદીના સ્વપ્ન દ્રષ્ટા હતા ભારતના આધુનિક ધડતર માટે વિશેષ યોગદાન આપનાર સ્વ.રિજીવ ગાંધીની આજે 32મી પૂણ્યતિથિ છે તેમના કાયૅકાળ દરમિયાન અનેકવિધ યોજનાઓ અંગે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી ત્યારે આજરોજ બોડેલી ખાતે રાજીવ ગાંધીની પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને બોડેલીની હોસ્પિટલમાં દરેક દર્દીઓને ફ્રુટનુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કોન્ગ્રેસના વિરોધ પક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા,સંગ્રામસિંહ રાઠવા, શશીકાંત રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોન્ગ્રેસના માઈનોરીટી સેલના અમજદખાન પઠાણ,કાજલભાઈ રાઠવા, વિષ્ણુ રાઠવા, બોડેલી કોન્ગ્રેસના પ્રમુખ નટુભાઈ બારીયા, જગાભાઈ રાઠવા સહિત છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા બોડેલી ખાતે દવાખાનાઓમાં દર્દીઓને સફરજન, કેળાં સહિત બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.