બીપરજોય વાવાઝોડાંના પગલે છોટા ઉદેપુર ડેપો માંથી સૌરાષ્ટ્ર, કચ્છ, માંડવી બસોના રૂટ બંધ કરાયા… શાળા કોલેજો બંધ હોવાથી ૪૮ જેટલાં લોકલ રૂટો રદ કરાયા

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

હાલ ગુજરાતમાં આવેલ બિપર્ જોય વાવાઝોડાંના સંકટને કારણે છોટા ઉદેપુર એસટી ડેપો દ્વારા સૌરાષ્ટ્ર માંડવી, મુન્દ્રા એકસપ્રેસ બસોના રૂટ બે દિવસ થી રદ કરવામાં આવ્યાં છે. જ્યારે સોમનાથ, જામનગર, કાલાવડ, જોડીયા વગેરે જતી ૫ બસોના રૂટ ટુંકાવી દેવાતા આ બસ માત્ર રાજકોટ સૂધી જ ચલાવવામાં આવી રહી છે. બીપર જોય વાવાઝોડાં ની સંભાવનાને લઈને છોટા ઉદેપુર જીલ્લામાં શાળા કોલેજો તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવતા વિધાર્થીઓને અવરજવરમાં સરળતા રહે તે માટે ચલાવવામાં આવતાં ૪૮ જેટલાં લોકલ બસ રૂટ પણ બંધ કરવામાં આવ્યાં હતાં. જ્યારે ૫ એકસપ્રેસ બસ રૂટોને રાજકોટ સૂધી ટૂંકાવવા માં આવ્યાં હતાં. જે છોટા ઉદેપુર એસટી ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here