તસવીર અને અહેવાલ
મુન્ના વ્હોરા,વિરમગામ
અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા કારગીલ વિજય દિવસ પર વીર શહીદોને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમા અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના સતીષ ઠાકોર ઉપપ્રમુખ ગુજરાત, ચેતન કંસારા વિરમગામ શહેર પ્રમુખ, નરેશદાન ગઢવી પ્રમુખ વિરમગામ તાલુકા, અમર ઠાકોર, પ્રવીણ શાહ, દશરથભાઈ ઠાકોર અને ટીમ મેબ્બરો તથા માજી સૈનિકો ઉપસ્થિતિ રહયા હતા.