પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ચાર કેસો નોંધાયા

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

નવા તમામ કેસો ગોધરા તાલુકામાં નોંધાયા, જિલ્લામાં કુલ સક્રિય કેસોનો આંક 23 થયો

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા 04 કેસો મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 3974 થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 23એ સ્થિર રહી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. 03 દર્દીઓને સારવાર બાદ આજે રજા પણ આપવામાં આવી હતી. આજે મળી આવેલ 4 નવા કેસો પૈકી 02 કેસો ગોધરા શહેરમાંથી અને 02 કેસ ગોધરા ગ્રામ્યમાંથી મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2907 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1067 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3810 થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here