પંચમહાલ જિલ્લામાં કોરોનાનો સતત ઘટતો પ્રભાવ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

જિલ્લામાં કુલ 26 સક્રિય કેસો રહ્યા, આજે માત્ર એક નવો કેસ મળ્યો

કુલ કેસનો આંક 3944 થયો કોરોનાને પછડાટ આપી 3778 દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં કોરોનાના નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. આજે સંક્રમણનો માત્ર એક નવો કેસ નોંધાયો છે, જે ગોધરા ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યો છે. 3 દર્દીઓને રજા આપવામાં આવતા હાલ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 26 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2884 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1060 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3778 થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here