પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યામાં ધરખમ ઘટાડો, આજે માત્ર ૨ કેસ મળ્યા

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય દર્દીઓનો આંક ૧૧૫ થયો

કુલ કેસનો આંક ૩૮૨૨ થયો, કોરોનાને પછડાટ આપી ૩૫૭૧ દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યામાં ધરખમ ઘટાડો આજે નોંધાયો છે. આજે સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણનો માત્ર ૨ નવા કેસો મળી આવ્યા છે. બન્ને કેસો ગોધરા વિસ્તારમાંથી મળી આવ્યા છે, એક કેસ ગોધરા ગ્રામ્યમાંથી અને એક કેસ ગોધરા શહેરમાંથી મળી આવ્યો છે. સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૮૨૨ થવા પામી છે. ૧૧ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ ૧૧૫ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ કેસ ૨૭૯૩ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૨૯ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૫૭૧ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૧૫ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here