પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા 21 કેસો નોંધાયા

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

16 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય દર્દીઓનો આંક 187 થયો

કુલ કેસનો આંક 3676 થયો, કોરોનાને પછડાટ આપી 3359 દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-19 સંક્રમણના નવા 21 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3676 થવા પામી છે. 16 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 187 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 11 કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 13, હાલોલમાંથી ૦1, કાલોલમાંથી 01 અને શહેરામાંથી 02 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2691 કેસ નોંધાયા છે. આજે ગ્રામ્ય વિસ્તારોમાંથી 04 કેસ મળી આવ્યો છે. ગોધરા ગ્રામ્યમાંથી 01 કેસ અને કાલોલ ગ્રામ્યમાંથી 03 કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 16 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3359 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 187 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here