પંચમહાલ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત..સંક્રમણના વધુ ૨૦ કેસો નોંધાયા

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

૧૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય દર્દીઓનો આંક ૧૬૮ થયો

કુલ કેસનો આંક ૩૬૧૮ થયો, કોરોનાને પછડાટ આપી ૩૩૨૧ દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના નવા ૨૦ કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૬૧૮ થવા પામી છે. ૧૦ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ ૧૬૮ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી ૧૬ કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી ૧૩, હાલોલમાંથી ૦૧ કેસ અને કાલોલમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૬૪૭ કેસ નોંધાયા છે. આજના તમામ કેસ શહેરી વિસ્તારોમાંથી જ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૩૨૧ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૬૮ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here