ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે કાર્યરત જવાહર નવોદય વિદ્યાલયના પ્રાચાર્યની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સત્ર ૨૦૨૧-૨૨માં જવાહર નવોદય વિદ્યાલયોમાં ધોરણ-૬માં પ્રવેશ માટે જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા-૨૦૨૧ના ઓનલાઈન અરજીપત્રક ભરવાની અંતિમ તારીખ વહીવટી કારણોસર ૨૯.૧૨.૨૦૨૦ સુધી વધારવામાં આવી છે. ઉમેદવાર વેબસાઈટ www.navodaya.gov.in પર મફત અરજી કરી શકશે. અરજીપત્રકમાં સુધારા કરવા માટે વિન્ડો તારીખ ૩૦ અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ ખુલ્લી રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.