પંચમહાલમાં કેજરીવાલ અને ભગવંત માનની જાહેર સભા યોજાશે

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

આયોજન અને વ્યવસ્થાના આયોજન બાબતે પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં જિલ્લા પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ

આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા પુરી તૈયારી કરી રહી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં જાહેર સભાઓ યોજાઇ રહી છે. પંચમહાલ લોકસભા વિસ્તારમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા મોરવા હડફ ખાતે ૨૮ તારીખે કેજરીવાલ સાહેબ ની જાહેર સભાનું આયોજન પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં કરવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ જાહેર સભામાં પધારનાર છે તેથી પંચમહાલ લોકસભા વિસ્તારના સૌ કાર્યકરોમાં ખુશીઓ જોવા મળે છે.

જાહેરસભા ના આયોજન અને વ્યવસ્થા બાબતે ચર્ચા વિચારણા કરવા માટે પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ આજ રોજ ગોધરા સર્કીટ હાઉસમાં પદાધિકારીઓની બેઠક રાખવામાં આવી હતી. જેમાં ગોધરા, કાલોલ, હાલોલ, શહેરા અને ઠાસરા વિધાનસભા બેઠકના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા શહેરા બેઠકના ઉમેદવાર તખતસિહ સોલંકી, ઠાસરા વિધાનસભા બેઠકના ઉમેદવાર નટવરસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ, જિલ્લા તથા વિધાનસભા ના પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ તમામ વિધાનસભા વિસ્તારમાંથી સૌથી વધારે લોકોની ઉપસ્થિતિ રહે તે માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here