પાલનપુર,*બનાસકાંઠા) જાનવી રામાનંદી :-
નેશનલ હાઇવે ઓથોરિટી ની ઘોર બેદરકારી થી વાહન ચાલકો ને ભોગવવી પડતી હલાકીઓ..
રોડ ઉપર મસ મોટા ખાડાઓ પડવાથી વાહનચાલકો સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત થાય છે..
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મોટેમોટા ટોલ પ્લાઝા ઓ ઉભા કરીને રૂપિયા બનાવવામા મશગુલ સે અને રોડ ઉપર ખાડાઓના કારણે વાહનો વાળાઓ મોત નો આ રસ્તો હોય તેવું લાગી રહ્યું છે..
શું આ રોડ નેશનલ હાઇવે નંબર 27 નું બિરુદ કઈ રીતે કહેવાય..?
આ રોડ ઉપર સાઈડો મા મોટેમોટા બાવળ ની ઝાડીઓ પણ જોવા મળી રહી છે..
આ રોડ ઉપર કોઈ જાતની સુવિધાઓ નથી ઉપલબ્ધ..સુવિધાઓ ના નામે મીંડું..
શું નેશનલ હાઇવે ઓથોરિટી વાળાઓ કોઈ મોટી ગંભીર બીના બને તેની રાહ જોઈ રહ્યું તેવું લાગી રહ્યું છે…
તંત્ર ઘોર નિદ્રા માંથી કયારે જાગે તે હવે જોવાનું રહ્યું છે..