નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૨૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૩૮ પોઝિટિવ કેસ નોંધાયા કુલ પોઝિટિવ દર્દીનો આંક 3084 ઉપર પહોંચ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૩ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૨ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૩૫, હોમ આઇસોલેશનમા ૧૪૧ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૪ દરદીઓ સહિત કુલ-૨૬૨ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૮,૩૫૭ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૧૧૫ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા.૨૮ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સાંજે ૭:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૨૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની સંખ્યા વધીને 3084 ઉપર પહોંચી છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૩ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૪૧ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૨ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૩૫ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૪ દરદીઓ સહિત કુલ-૨૬૨ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૪૮૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૭૦ સહિત કુલ-૧૫૫૯ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૮ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૮,૩૫૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૩૮ દરદીઓ, તાવના-૩૬ દરદીઓ, ઝાડાના ૪૧ દરદીઓ સહિત કુલ-૧૧૫ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૨૪૯૧ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૭૧૫૦ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here