ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડી દેવાના કારણે કેનાલ તૂટવાનું ભય
સફાઈ કર્યા વગર કેનાલ માં પાણી છોડી દેવાતા ખેડૂતો માં રોષ, ખેડૂતો નો આક્ષેપ કેનાલ ની સફાઈ માત્ર કાગળ પરજ
કેનાલ નું રીપેરીંગ કામ પણ નથી કરવામાં આવ્યું જેના કારણે કેનાલ તૂટવાનો ખેડૂતો ને ભય
ખેડૂતો નો આક્ષેપ ભાદર 1 ની કેનાલ માં સફાઈ કર્યા વગર પાણી છોડી દેવાતા કેનાલ છલકાઈ જશે અને કેનાલ નું પાણી ખેડૂતો ના ખેતરો માં ફરી વળશે
જો કેનાલ તુટે તો ઘઉં ધાણા જીરું ડુંગળી સહિત ના પાકો માં પાણી ફરી વળશે અને નુકસાન ની ભીતિ