ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે જિલ્લામાં કુલ 28 નવા પોઝિટીવ કેસો મળી આવ્યા છે. જે પૈકી શહેરી વિસ્તારોમાં 04 અને ગ્રામ્ય વિસ્તારોમાં 24 નવા કેસો નોંધાયા છે. શહેરી વિસ્તારોમાં ગોધરામાંથી 01 અને હાલોલમાંથી 03 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી 05, હાલોલ ગ્રામ્યમાંથી 04, કાલોલ ગ્રામ્યમાંથી 03, ઘોઘંબા ગ્રામ્યમાંથી 06 અને જાંબુઘોડા ગ્રામ્યમાંથી 06 કેસો મળી આવ્યા છે. જ્યારે આજે 62 વ્યક્તિઓને રજા આપવામાં આવી છે. યાદીમાં જણાવ્યા અનુસાર આજે 18થી વધુ વયની 2626 વ્યક્તિઓને કોવિડ-19 પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.