ધાનપુર, (દાહોદ) મોહોન ભાઈ બારીયા :-
આજ રોજ તારીખ 29/05/2023ના રોજ સવાર ના 11.00 કલાકે મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તેમજ પરિવહન મંત્રી શ્રી હર્ષવર્ધન સંઘવી સાહેબ તેમજ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર ના તેમજ તાલુકા ના તથા જિલ્લા ના તમામ કર્મચારીઓ સહ આજ રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં નવીન બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ધાનપુર થી લીમખેડા જતા મુસાફરો ને જે અગવડતા વેઠવી પઢતી તે હવે વેઠવી નહિ પડે. અને વિદ્યાર્થીઓ ને બસ પાસ કઠાવવા બારિયા જવું પડતું હતું અને બાળકોને ઉચ્ચ શિક્ષણ જાવ માટે જિલ્લા મથકે કામકાજ માટે બસ સુવિધા સમયસર ન મળતા ધણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી અને લોકલાડીલા ધારાસભ્ય ના હસ્તે ધાનપુર માં નવીન બસ્ટેન મળતા અંતરિયાળ તાલુકાની પ્રજામાં આનંદની લાગણી છવાય ગયી હતી અને મંત્રીશ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.