ડીસા શહેરમાં ખોડિયાર જયંતિ નિમિત્તે શાનદાર ઉજવણી માઈ ભક્તો દ્વારા કરવામાં આવી

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

ડીસા શહેરમાં છેલ્લા ૩૫ વર્ષથી સાઈબાબા બગીચા વિસ્તાર માં આવેલ ખોડીયાર માતાના મંદિરે માઈભક્તો દ્વારા મહાસુદ આઠમ ને આજ રોજના વહેલી સવારે માતાજી ની ધજા ચડાવીને આરતી પૂજા કરીને મહા પ્રસાદી નો ભોગ ધરાવીને મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું છે.
કોરોનાની મહામારી ના કારણે ગયા વર્ષે પણ અંદાજીત 51 કિલો નો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષે મહા સુદ આઠમ ના દિવસે માં ખોડીયાર ની જન્મ જયંતી નિમિત્તે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરીને માઇભકતો દ્વારા મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું તેમજ ભાવિક ભક્તો દ્વારા દર્શનનો લાભ લીધો હતો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભક્તો દ્વારા સાનિ પ્રસાદ કરવામાં આવે છે લોકોએ શાંતિથી દર્શન કર્યા છે અને પ્રસાદ નો લાભ લીધો હતો મા ની જન્મ જયંતી નિમિત્તે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here