ડભોઈ મોહસીને આજમ મિસન દ્વારા નિરાધારોને ધાબળાઓનું વિતરણ કરાયું…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ મોહસિને આઝમ મિશન દ્વારા જાહેર રસ્તા ના ફુટપાઠ પર ખુલ્લા આકાશ નીચે સુતા ગરીબ લોકો ને શિયાળામાં ઠંડી થી બચવા ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું
ફાઝીલે બગદાદ સૈયદ હસન અસ્કરી અશરફી જીલાની કિછોછવી ના માર્ગદર્શન હેઠળ મોહસિને આઝમ મિશન ની સ્થાપના ડભોઇ ખાતે કરવામાં આવી છે જેમાં ગરીબ લાચાર બે સહારા લોકો ને જમવાનું ટીફીન પહોચતુ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે સુતા નિરાધાર લોકો ને જ્યાં સુતા હોય તે સ્થળે ધાબળા ઓઢાવી સરાહનીય કામગીરી કરવા માં આવી હતી.સંસથા ના પ્રમુખ મૌલાના ગુલામ નબી અશરફી ઉપ પ્રમુખ હાજી ઐયુબ ધાચી.વસીમ પાનવાલા.મંજુર સલાટ.મુનીર વોરા હાજર રહી લોક કલ્યાણ કાર્ય કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here