ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
આગામી 20 તારીખે ડભોઈ થી મક્કા મદીના પવિત્ર યાત્રા ઉમરાહ કરવા જઈ રહેલા 35 જેટલા મુસ્લિમ બિરાદરો નું કડીયાવાડ જૂની ગાદી પાસે સૈયદ સુલતાન રિફાયી બગદાદી ની કમેટી ની આગેવાની માં ફુલહાર કરી તેઓનું ઇસ્તેકબાલ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સૈયદ સિરાજુદ્દીન નઈમી સાહબે ઉમરાહ ને લગતું ખિતાબ કરી ઉમરાહ જનાર લોકોને માહિતગાર કર્યા હતા જેમાં મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી ઉમરાહ માટે જનાર તમામ ને ફુલહાર કરી એકમેક પ્રત્યે જીવન માં જે કંઈ ભૂલ ચૂક થઈ હોય તેની માફી સાફી કરી તેઓનું સફર આસાન થાય તેવી દુઆ કરી હતી.ઉલ્લેખનીય છે કે કોરોના કાળ બાદ પવિત્ર મક્કા મદીના ખાતે ઉમરાહ કરવા આ વર્ષે મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો જઈ રહ્યા છે.જેમાં ડભોઇ ના કડીયાવાડ ખાતે થી આગામી 20 તારીખે 35 થી 40 જેટલા લોકો ઉમરાહ કરવા જવાના હોઈ ત્યારે કડીયાવાડ જૂની ગાદી પાસે તેઓના ફુલહાર નું આયોજન કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો ઉલમાએ કિરામ તેમજ સાદાતે કીરામ હાજર રહ્યા હતા.