ડભોઇ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રમજાન ઈદના પર્વને ખરા અર્થે સાર્થક કરવા અનોખી રીતે ઉજવણી કરાઈ…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

રમજાન ઈદ નિમિતે ફ્રૂટ કીટનું ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે બીમાર મરીજોને વિતરણ કરી ઈદની ઉજવણી કરી.

સમગ્ર ભારતભરમાં સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વેગવંતુ થયેલ છે અને તેની અલગ અલગ શહેરોમાં કેટલીક શાખાઓ અવિરત ચાલી રહી છે અને આ શાખાઓ દ્વારા અવિરતપણે સમાજની સેવા કરવાના કાર્યક્રમો યોજવામાં આવે છે.
જેમાં ડભોઇ નગર નિ સૈખુલ ઇસ્લામ શાખા સામેલ છે જેના ટ્રસ્ટ ના મેમ્બર હજરત સૈયદ મુજ્જુ બાપુ, હાજી શઈદભાઈ નુરેનજર,મકબુલભાઈ મુલ્લાં, સફીભાઈ મિર્ઝા ( ભો) મુન્નાભાઈ મલેક યુનુસભાઇ બોજ અને કાર્યકરો દ્વાર રમજાન ઇદ ના મોકા પર ડભોઈ રેફરલ દવાખાના ખાતે અસ્વસ્થ લોકો સાથે તેઓને ફ્રૂટ નું વિતરણ કરી ઈદ નિ ઉજવણી કરી હતી.
ડભોઇ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જરૂરત ના સમયે સેવાભાવી કાર્ય કરવામાં આવે છે જે અંતર્ગત આજે હોસ્પિટલના મરીજો સાથે તેમની લાગણીઓ અને તેમના દુઃખ દર્દ માં સહભાગી બની ફૂડ વિતરણ કરી તેઓ જલ્દી હસ્ટ પુરુસ્ટ બને તેમજ પુરા ભારત વાસીઓ સ્વસ્થ અને સલામત રહે તેવી દુવા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here