કાલોલ,(પંચમહાલ) મૂસ્તુફા મીરઝા :-
જિલ્લા રોજગાર વિનિમય કચેરી , ગોધરા- પંચમહાલ દ્વારા તારીખ .૦૫ / ૦૫ / ૨૦૨૨ ના રોજ પંચમહાલ જીલ્લાના ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ ( www.anubandham.gujarat.gov.in ) અને એન.સી.એસ પોર્ટલ ( www.ncs.gov.in ) પર જોડાયેલ ઉમેદવારો માટે ઔધોગિક તાલીમ સંસ્થા ( આઈટીઆઈ ) કાલોલ , જી.પંચમહાલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ હતું જે અનિવાર્ય કારણસર મોકૂફ રાખેલ છે . તમામ ઉમેદવારો અને નોકરીદાતાને ઘેર બેઠા અનુબંધમ પોર્ટલના ઉપયોગ અને તેના પર નામ નોંધણી અને ઉપલબ્ધ રોજગારીની તકો તેમજ રોજગાર કચેરીની સેવાઓ અને સ્વરોજગાર લક્ષી માહિતી અને માર્ગદર્શન માટે રોજગાર સેતુ હેલ્પલાઇન ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવેલ છે .