ડભોઇ થરવાસા ચોકડી પાસે નર્મદા કેનાલમાં નીલગાય ખાબકતા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યું કરાયુ..

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ થરવસા ચોકડી ખાતે આવેલ નર્મદા કેનાલ માં નિલ ગાય ફસાઇ હોવાની માહિતી મળતા ડભોઇ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામા આવી. આજરોજ વહેલી સવારે થરવાસા ચોકડી ની આસપાસ રહેતા રહીશો દ્વારા કેનાલ માં નિલ ગાય ફસાયેલ હોવાનું માલુમ પડતા ડભોઇ પોલીસ ની જાણ કરી હતી જે બાદ તાત્કાલિક ધોરણે ડભોઇ પોલીસ કેનાલ પર આવી પરિસ્થિતિ જોતા ડભોઇ ફાયર વિભાગ ને આ અંગે ની જાણ કરી હતી.ઘટના ની જાણ થતાં ડભોઇ ફાયર વિભાગ તાત્કાલિક નર્મદા કેનાલ ખાતે પહોંચી નિલ ગાય ની રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.નીલગાય ને બહાર કાઢવા ભારે જહેમત બાદ ફાયર વિભાગ ની ટિમ ને સફળતા મળી હતી અને નિલ ગાય ને સુરક્ષિત રીતે ફાયર ટિમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.નિલ ગાય ને રેસ્ક્યુ કરી બહાર કાઢી તેને સુરક્ષિત સ્થળ પર છોડી દેવાની તજવીજ હાથ ધરવામાંઆવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here