ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
મસ મોટા ખાડાઓથી વાહન ચાલકો અને રાહદારીઓને થતું નુકસાન
ડભોઈ શહેર ની જનતા ધર્મ પ્રેમી જનતા ઉત્સવો ઉજવવામાં અગ્રેસર રહે છે આજે રામદેવ પીર ના ભક્તો ધજા ચડાવવા શોભા યાત્રા રૂપે નિકળ્યા હતા પરંતુ ખાડા ઓ ને લઈ ભકતો માં રોષ જોવા મળ્યો હતો આવનાર દિવસો માં દશ દિવસ આતિથ્ય માન્યા બાદ શ્રીજી નું વિસર્જન થનાર હોય નગરપાલિકા દ્વારા મહુડી ભાગોળ પરબડીએ થી જનતા નગર ના નાકા સુધી રોડ પર ના ખાડાઓનું ડામર પેચિંગ કરે એવી વિસ્તાર ના રહીશો ની લાગણી છે મહુડી ભાગોળ પરબડીએ થી જનતા નગર ના નાકા સુધી રોડ પર ના ખાડા ને કારણે વાહનચાલકો પડયા ના બનાવો પણ બનવા પામ્યા છે ત્યારે નગરપાલિકા ના પ્રમુખ માનવતા ના ધોરણે વહેલી તકે ખાડા પુરાવે એ જ સમય ની માંગ !